કન્ફર્મ ટિકિટ હોવા છતાં ન મળી જગ્યા

લખનઉઃ દિવાળી બાદ છઠ્ઠ પૂજા માટે ગોરખપુર તરફ જતા લાખો પ્રવાસીઓ રેલવેની બેદરકારીનો શિકાર થયા હતા. રેલવે વિભાગે ગોરખપુર ઈન્ટરસિટીમાં સીટ ન હોવા છતાં વધુ સંખ્યામાં બુકિંગ કરી લીધું હતું. જ્યારે પ્રવાસીઓ સ્ટેશન પર પહોંચ્યા ત્યારે તેમને પોતાની સીટ મળી ન હતી. કન્ફર્મ ટિકિટ હોવા છતાં પણ ધક્કામુક્કી વચ્ચે મુસાફરી કરવી પડી હતી. જ્યારે ગત રવિવારે ટ્રેનની તત્કાલ ટિકિટની સીટને લઈને પણ ભારે બબાલ મચી ગઈ હતી. પૂર્વાંચલ તરફ જતી બસમાં પણ સીટને લઈને હંગામો થયો હતો.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે અહીં ક્લિક કરો
એક મહિના પહેલા કરાવ્યું હતું રીઝર્વેશન

છેલ્લા કેટલાક દિવસોથી લખનઉ જંક્શન-ગોરખપુર ઈન્ટરસિટી અને લખનઉ પાટલીપુત્ર એક્સપ્રેસમાં રેલવે સેકન્ડ સીટીંગ ક્લાસમાં 90 ના બદલે 98 સીટ બુક કરી દેવામાં આવે છે. રેલવે કર્મી સોહન પ્રસાદે કહ્યું કે, એક મહિના પહેલા તા. 10 નવેમ્બરના રોજ સેકન્ડ ક્લાસ સીટીંગ માટે રીઝર્વેશન કરાવવામાં આવ્યું હતું. કોચ ડી-1માં સીટ નંબર 91થી 95 સુધી રીઝર્વેશન આપવામાં આવ્યું હતું. કન્ફર્મ ટિકિટ લઈને જ્યારે પરિવાર સ્ટેશન પર પહોંચ્યો ત્યારે કોચમાં બેસવમા માટે કોઈ સીટ ન હતી. આ અંગે જ્યારે ટીસીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, રેલવે વિભાગની ભૂલને કારણે નિશ્ચિત સંખ્યા કરતા વધારે ટિકિટ બુક કરી દેવામાં આવી છે.
દલાલોએ લીસ્ટ ફાડી નાંખ્યું

લખનઉ-પાટલીપુત્ર ટ્રેનમાં પણ આ પ્રકારની ફરિયાદ ઊઠી હતી. રવિવારે દિલ્હી, પુણે, મુંબઈ, બેંગ્લુરુ સહિત લાંબા અંતરની ટ્રેનમાં સૌથી વધુ વેઈટિંગ લીસ્ટ જોવા મળ્યું હતું. આ શહેરની ટ્રેનનું તત્કાલ ક્વોટાનું રીઝર્વેશન શનિવારે 10 વાગ્યે ખુલ્યું હતું. શુક્રવારે સાંજે મોટા ભાગના રીઝર્વેશન સેન્ટર પર લીસ્ટ બનવાનું શરૂ થઈ ચૂક્યું હતું. શનિવારે લખનઉના ચારબાગ સ્ટેશનમાં દલાલોએ લીસ્ટ ફાડી નાંખ્યું હતું. તેના બદલે બીજું એક લીસ્ટ લગાવી દેવામાં આવ્યું હતું. જેને લઈને સ્ટેશન પર હંગામો મચી ગયો હતો. રવિવારે મોટી સંખ્યામાં વેઈટિંગ લીસ્ટમાં રહેલા મુસાફરો રવાના થશે.
રીઝર્વેશન કોચમાં પણ ભીડ

શનિવારે બિહાર અને પૂર્વાંચલ તરફ જતી ગોરખપુર ઈન્ટરસિટી, લખનઉ છપરા એક્સપ્રેસ સહિત તમામ ટ્રેનના રીઝર્વેશન કોચમાં ભારે ભીડ જોવા મળી હતી. કોટા-પટણા એક્સપ્રેસના સ્લીપર કોચ એસ-9માં પણ 250થી વધારે ટિકિટ વગરના મુસાફરોએ મુસાફરી કરી લીધી હતી. જ્યારે શનિવારે પણ દિલ્હી જનારી લખનઉ મેલ, એસી સુફરફાસ્ટ જેવા ટ્રેનમાં પણ લાંબા વેઈટિંગ લીસ્ટે પ્રવાસીઓને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. દિવાળી બાદ પરત આવતા અને છઠ્ઠ પૂજા માટે રવાના થતા પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો. પરિવહન નિગમે દરરોજ 50થી વધારે બસનું સંચાલન કરશે. જેમાં 12 એસી અને 38 નોન એસી બસ દોડાવવામાં આવશે. કેસરબાગથી બહરાઈચ, બલરામપુર, દવીપાટણ અને ગોંડા સહિત કેટલાય જિલ્લામાં આ બસ રવાના થશે. જ્યારે આલમબાગ બસ સ્ટેશન સાથે એઆરએમ વીકે ગર્ગે કહ્યું હતું કે, ઘસારાને ધ્યાને લઈને વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
વિમાનનું ભાડું પણ વધ્યું

રવિવારે કેટલીક એરલાઈન્સ સર્વિસે પણ ભાડામાં વધારો કર્યો હતો. તમામ ફ્લાઈટનું ભાડું રવિવારે લખનઉથી દિલ્હી સુધીનું 9થી 11 હજાર રૂપિયા સુધીનું રહ્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે, માગ વધવાને કારણે આ ભાડું વધારવામાં આવ્યું છે. દિવાળી બાદ પરત પૂણેથી દિલ્હી પરત ફરતા વિમાનનું ભાડું 11 હજારની આસપાસ રહ્યું હતું. જ્યારે રવિવારે પુણે જવા માટે વિમાનનું ભાડું 28 હજાર સુધી પહોંચી ગયું હતું. આ સિવાય મુંબઈ જતી ફ્લાઈટના ચાર્જમાં પણ વધારો થયો હતો. લખનઉથી પુણેથી જનારી જેટ એરવેઝ ફ્લાઈટ 9W 769નું ભાડું 28 હજાર સુધી પહોંચી ગયું હતું. જ્યારે લખનઉથી બેંગ્લુરુ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 541નું ભાડું 24 હજાર, ગો એરની ફ્લાઈટ G8 806નો ચાર્જ 16 હજાર સુધી પહોંચ્યો હતો. જ્યારે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 626નું ભાડું 21 હજાર, ઈન્ડિગો 6E 769નું ભાડું 19,000 સુધી પહોંચી ગયું હતું.
from Page Array – I Am Gujarat https://ift.tt/2DhlOm8
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2QCIEZ7
No comments:
Post a Comment