અમદાવાદ: ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં જ અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી નખાયા બાદ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી થવાની અટકળો વચ્ચે સોશિયલ મીડિયામાં રીતસરનો જંગ છેડાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર શહેરનું નામ ન બદલવા માટે મોટી સંખ્યામાં લોકો દલીલ કરી રહ્યા છે, અને આ અંગે થયેલી એક ઓનલાઈન પિટિશનને પણ ભારે પ્રતિસાદ મળ્યો છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે ક્લિક કરો
IamGujarat દ્વારા ફેસબુક પર આ અંગે એક પોલ પણ કરવામાં આવ્યો હતો. જેના પર માત્ર ચાર જ કલાકમાં 286 લોકોએ વોટ કર્યો હતો. જેમાંથી 176 લોકોએ શહેરનું નામ ન બદલાવવું જોઈએ તેવો મત આપ્યો હતો, જ્યારે નામ બદલવાની તરફેણમાં 110 લોકોએ વોટિંગ કર્યું હતું.
ઓનલાઈન વોટ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વનું છે કે, તાજેતરમાં જ ડે. સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા વિચારણા ચાલી રહી છે. બેસતા વર્ષના દિવસે અમદાવાદના ભદ્રકાળી મંદિરે દર્શન કરવા આવેલા સીએમ રુપાણીએ પણ કહ્યું હતું કે, 2019 પહેલા અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે તમામ પાસાને ધ્યાનમાં રાખી વિચાર થઈ રહ્યો છે.
જોકે, ટ્વીટર પર #IamAhmedabad હેશટેગ સાથે અમદાવાદાનું નામ ન બદલવા માટે ભારે દલીલો થઈ રહી છે. લોકો એવી પણ દલીલ કરી રહ્યા છે કે, જો અમદાવાદનું નામ બદલાઈ ગયું તો અમદાવાદીઓની ઓળખનું શું થશે? વળી, દેશના એકમાત્ર હેરિટેજ સિટી અમદાવાદનું નામ કેમ બદલવાનું વિચારાઈ રહ્યું છે તેવો સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે.
કેટલાક યુઝર્સે તો વિજય રુપાણી અને ડે. સીએમ નીતિન પટેલને ટેગ કરીને અમદાવાદનું નામ ન બદલવા માટે અપીલ કરી છે. લોકો કહી રહ્યા છે કે અમદાવાદ એ માત્ર નામ નહીં, એક પ્રકારની લાગણી છે. અમદાવાદનું નામ ન બદલવા માટે જે ઓનલાઈન પિટિશન કરાઈ છે તેને પણ અત્યાર સુધી 11,000થી પણ વધુ લોકોએ પોતાનું સમર્થન આપ્યું હોવાના દાવા થઈ રહ્યા છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2QBLihQ
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2QCn0UX
No comments:
Post a Comment