Breaking

Post Top Ad

Wednesday, November 14, 2018

અમદાવાદ: પાલડીમાં રહેતો વિનય શાહ કરોડોનું કૌભાંડ કરી રફુચક્કર થઈ ગયો

શહેરના અનેક લોકોનું કરોડોનું ફૂલેકુ ફેરવી ફરાર

અમદાવાદઃ કહેવાય છે કે જ્યાં લોભી હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન રહે. આ કહેવત આપણા પર બિલકુલ બંધ બેસે છે. અનેક જાતભાતની સ્કિમમાં લોકોના હજારો લાખો ડુબ્યાના સમાચાર છાસવારે આવે છે છતા લોકો સાઇડ ઇન્કમ કે પછી જલ્દીથી રુપિયા ડબલ કરવાના ચક્કરના આવા ધુતારાઓની સ્કિમમાં ફસાઈ જ પડતા હોય છે. વધુ એક બનાવ અમદાવાદમાં બન્યો છે જેમાં અનેક લોકોએ પોતાના હજારો લાખો રુપિયા ખોયા છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ પાલડીમાં રહેતા એક કપલે આ પોન્ઝી સ્કિમ ચલાવીને અનેક લોકોને ટાર્ગેટ કર્યા છે અને તેમની પાસેથી રુપિયા લઈ રફુચક્કર થઈ ગયું છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

ફૂલેકુ ફેરવી વિદેશ રવાના

વસ્ત્રાપુરમાં નોંધાયેલ ફરિયાદ બાબાતે પોલીસ હજુ તપાસ શરુ કરે તે પહેલા વસ્ત્રાપુર પોલીસ પાસે આ સબબની વધુ એક ફરિયાદ આવી હતી અને આવી જ બીજી એક ફરિયાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં પણ પાલડી ખાતે રહેતા આ કપલ વિરુદ્ધ નોંધાઈ હતી. આ કિસ્સામાં પહેલી ફરિયાદ કોલેજમાં ભણતા રાહુલ જાની(21) નામના વ્યક્તિએ કરી હતી.

આ રીતે આપતા હતા ડબલ કરવાની લાલચ

જે મુજબ પાલડી ખાતે રહેતા વિનય શાહ અને વૈભવી શાહે તેને એક મલ્ટિ લેવલ માર્કેટિંગ સ્કિમ સમજાવી હતી અને જે મુજબ તેની આવક ડબલ થશે તેવા સપના દેખાડ્યા હતા. FRIમાં આપવામાં આવેલ નિવેદન મુજબ ‘કપલે કહ્યું હતું કે ફક્ત જાહેરાત પર ક્લિક કરીને મારી આવક થોડાક જ સમયમાં ડબલ થઈ જશે. આ માટે મને કંપનીની વેબસાઇટ પણ દેખાડવામાં આવી છે. જેથી મે તેમને પેહલીવારમાં રુ. 4500 ચૂકવ્યા હતા. જે બાદ ધીમે ધીમે તેમણે જુદા જુદા બહાના હેઠળ મારી પાસેથી રુ. 1 લાખ પડાવ્યા હતા’

શહેરની મોટી મોટી હોટેલમાં રાખતા હતા કાર્યક્રમ

જાનીના આરોપ છે કે આટલા રુપિયા આવાય છતા અત્યાર સુધીમાં તેને એક પૈસાની સુદ્ધા આવક થઈ નથી. જાની ઉપરાંત આવી જ ફરિયાદ આ કપલ સામે બીજા 10 વ્યક્તિઓ લઈને આવ્યા હતા. જોકે પોલીસ પાસે હજુ તેમણે ડિટેઇલમાં માહિતી આપી નથી. પરંતુ આ પોલીસના જણાવ્યા મુજબ શાહ કપલે પોતાની આ પોન્ઝી સ્કિમમાં લોકોને રુપિયા રોકવા માટે ચાંદ તારા દેખાડી મનાવ્યા હતા અને અનેક લોકોએ તેમની આ સ્કિમમાં રોકાણ કર્યું હતું.

અનેક લોકો બદનામીની બીકે આવ્યા નથી ફરિયાદ કરવા

જ્યારે 15-20 વ્યક્તિઓને કોઈ આવક ન થતા તેમણે થલતેજ ખાતે આવેલી કપલની ઓફિસ પહોંચ્યા હતા પરંતુ અહીં જાણવા મળ્યું કે ઓફિસ તો તેમણે ખાલી કરી દીધી છે અને પોતે છેતરાયા હોવાનું લોકોને ભાન થયું હતું. એક ઉચ્ચ અધિકારીએ આ મામલે કહ્યું કે, ‘આ હિમશિલા જેવું કૌભાંડ છે. કેમકે ઘણા લોકો અમારી પાસે ફરિયાદ લઈને આવ્યા હતા પરંતુ સમાજમાં પોતાની બદનામી થશે અથવા સમાજ કંઈક કહેશે તેવા ડરના કારણે FIR નોંધાવી નથી અથવા નોંધાવેલી FIR પણ પરત લઈ લીધી છે.’

પોલીસ ભેગા કરી રહી છે તથ્યો

પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ શાહ કપલ દિલ્હીથી દેશ બહાર ભાગી ગયું છે અને ક્યાં ગયું છે તેની કોઈ ચોક્કસ માહિતી પોલીસ પાસે નથી. પરંતુ આ કપલ શહેરના અનેક ભણેલા ગણેલા વ્યક્તિઓને પણ ચૂનો લગાડી ગયું અને કરોડો રુપિયાનું કૌભાંડ કરી ભાગી ગયું હોવાનું ધારી પોલીસ સમગ્ર મામલે ઝીણવટ પૂર્વક તપાસ કરી રહી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2z7ELEY


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2QEdFfe

No comments:

Post a Comment

Post Top Ad

Pages