ઘરના ઝઘડાના કારણે હું ખૂબ જ તણાવ અનુભવી રહ્યો છું

પ્રશ્ન – મારા લગ્નને પાંચ વર્ષ થયા છે, બધું જ સારી રીતે ચાલી રહ્યું છે સિવાય કે મારી મમ્મી અને મારી પત્ની ખૂબ જ ઝઘડે છે. કારણકે અમે સંયુક્ત પરિવારનો ભાગ છીએ એટલે અમે બધા એક જ છત નીચે રહીએ છીએ. મારી મમ્મી અને મારી પત્ની નાની-મોટી બધી વાતે ઝઘડ્યા કરે છે, ઘરમાં જમવાનું શું બનશે તેનાથી લઈને ઘરના નાણાનું ક્યાં રોકાણ કરવું જોઈએ તેવી તમામ વાતો પર મારી પત્ની અને મમ્મી ઝઘડો કરે છે. હું મારી મમ્મી અને પત્નીને અનેક વાર કહી ચૂક્યો છું કે મહેરબાની કરીને તમે ઝઘડવાનું બંધ કરો પણ તેઓ મારું સાંભળતા જ નથી અને ઝઘડ્યા કરે છે. પણ, હવે હું આ દરરોજના ઝઘડાથી ભયંકર કંટાળ્યો છું અને સાથે-સાથે હું મારી મમ્મી અને પત્ની બંનેને એકસરખો જ પ્રેમ કરું છું તેથી હવે આ ઘરના રોજબરોજના ઝઘડાથી હું તાણ અનુભવવા માંડ્યો છું. હું હવે તેઓને તેવી રીતે સમજાવું?
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
ઝઘડાના કારણે ઘરમાં શાંતિ જળવાતી નથી

આ પ્રશ્ન અંગે ડોક્ટર સંજય ચુઘ જવાબ આપતા જણાવે છે કે, જો ઘરમાં વારંવાર ઝઘડાઓ થાય તો તેનાથી ઘરના સભ્યો પણ તાણ અનુભવે છે. ઘરમાં જોવા મળતા આ પ્રકારના ઝઘડાઓ જેવા કે પતિ અને પત્નીની વચ્ચે ઝઘડો થવો અથવા તો પછી પત્ની અને સાસુની વચ્ચે ઝઘડો થવો એ સામાન્ય બાબત છે પણ ઘણી વખત તેના પરિણામોની ગંભીર અસર પડતી હોય છે. જ્યારે બે વ્યક્તિઓની વચ્ચે કોઈ સમસ્યા સર્જાય તો તેઓ એકબીજાની સાથે વાત કરવાનું બંધ કરી દેતા હોય છે, અથવા તો પછી બે વ્યક્તિઓને જે મુદ્દે સમસ્યા સર્જાઈ છે તેનું સમાધાન શોધે છે.
ઝઘડાનો ઉકેલ લાવવા માટે બેસીને વાત કરવી જોઈએ

પણ જ્યારે એવી પરિસ્થિતિ સર્જાય કે તમે બે વ્યક્તિના ઝઘડામાં ત્રીજી વ્યક્તિ છો અને તમારે આ ઝઘડો થાળે પાડવાનો છે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે-જ્યારે પણ આવી પરિસ્થિતિનું સર્જન થાય કે જેમાં તમે ત્રીજા વ્યક્તિ છો અને તમારે બે વ્યક્તિઓના ઝઘડાનું સમાધાન શોધવાનું છે ત્યારે તમારે તે લોકોની સાથે બેસીને વાત કરવી જોઈએ, બંને વચ્ચે સુમેળ સ્થાપવાના પ્રયાસ કરવા જોઈએ અને જરૂર પડે તો અવાજ ઊંચો પણ કરવો જોઈએ કે જેનાથી તેઓ કોઈએક મુદ્દે સમાધાન માટે તૈયાર થઈ શકે. આ સાથે જ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ઝઘડામાં તમારી પ્રતિક્રિયા શું છે તે તમારે જોવું જોઈએ.
ઝઘડવાની કોઈ જ તક ઊભી થવા દો નહીં

તમારે આ ઝઘડાને તિરસ્કારની ભાવનાથી અથવા તો દુશ્મનાવાટ તરીકે આંકવો જોઈએ નહીં, તમારે આ ઝઘડાનું કંઈક એ પ્રકારે મૂલ્યાંકન કરવું જોઈએ કે જેનાથી તમે શાંતિપૂર્વક આ ઝઘડાનો ઉકેલ લાવી શકો. તમારે એવો ઉકેલ શોધવો જોઈએ કે જેમાં તમે તે બે ઝઘડતી વ્યક્તિઓને સમજાવી શકો કે વાતચીત કરો અને સમસ્યાનો ઉકેલ લાવો તેનાથી વિશેષ કશું જ નથી. તેનાથી તમને એવી મદદ મળશે કે જેનાથી તેઓને ઝઘડો કરવાના કોઈ અવસર જ પ્રાપ્ત નહીં થાય, માટે અગાઉથી જ તેમની મર્યાદાઓ તપાસી લો અને ઝઘડવાની કોઈ જ તક ઊભી થવા દો નહીં.
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat https://ift.tt/2PpC4J4
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2D7pUNt
No comments:
Post a Comment