30 લાખ ગુજરાતીઓને ડાયાબિટીસ

પૉલ જ્હોન, અમદાવાદ: વધારે પડતું ગળ્યું ખાવાની આદત અને શરીરમાં એકત્ર થઈ રહેલી ચરબી તમને ટાઈટ-2 ડાયાબિટીસ તરફ ધકેલી રહી છે. જો સમયસર સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન નહીં આપો તો ભવિષ્યમાં સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. લેન્સન્ટ સ્ટડીના તાજેતરના રિપોર્ટ ‘બર્ડન ઓફ ડાયાબિટીસ એન્ડ વેરિએશન અમંગ ઈન્ડિયન સ્ટેટ્સ’ પ્રમાણે ગુજરાતમાં આશરે 30 લાખ (3 મિલિયન) ગુજરાતીઓ ડાયાબિટીસથી પીડાય છે. 1990થી 2016 સુધીમાં રાજ્યમાં ડાયાબિટીસના દર્દીઓમાં 89%નો વધારો થયો છે. 2016માં રાજ્યમાં દર એક લાખની વસ્તીમાંથી 729 વ્યક્તિઓમાં ડાયાબિટીસ જોવા મળ્યો.
અમારા ન્યૂઝ Whatsapp પર વાંચવા અહીં ક્લિક કરો
20 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં વધ્યું પ્રમાણ

20 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના ડાયાબિટીસના દર્દીઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. 1990માં દર 100માંથી 4.8 વ્યક્તિઓએ ડાયાબિટીસનો શિકાર હતા જે 2016માં વધીને 6.8 વ્યક્તિઓ થયા છે. સ્ટડી પ્રમાણે, ગુજરાતમાં ડાયાબિટીસનું પ્રમાણ વધવાનું મહત્વનું કારણ છે ઊંચો BMI (બોડી માસ ઈન્ડેક્સ). જો વધુ વજન ધરાવતા લોકોની સંખ્યા ઓછી થાય તો આ આંકડો ઘટી શકે છે તેવો દાવો સ્ટડીમાં કરાયો છે.
1990થી 2016 વચ્ચે 132% વધારો નોંધાયો

લેન્સન્ટ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતમાં 20 વર્ષથી વધુ ઉંમરના સ્થૂળ વ્યક્તિઓની સંખ્યામાં 1990થી 2016 વચ્ચે 132%નો વધારો થયો છે. 20 વર્ષથી ઉપરના વધુ વજન ધરાવતા પુરુષો 149% વધ્યા છે જ્યારે મહિલાઓમાં આ આંકડો 121% વધ્યો છે. આ ચોંકાવનારા આંકડાને NPCDCS (નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ અને સ્ટ્રોક) હેઠળ 2017માં ગુજરાત સરકારે બહાર પાડેલો રેકોર્ડ ટેકો આપે છે. સરકારે 32.23 લાખ લોકો પર કરેલા સર્વેમાં બહાર આવ્યું કે, રાજ્યના 2.11 લાખ લોકો ડાયાબિટીસ અને 2.37 લાખ લોકો હાઈપરટેન્શનથી પીડાય છે.
આ કારણે વધ્યું ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ

લેન્સેટ સ્ટડી પ્રમાણે, ડાયાબિટીસના કેસ વધવાનું કારણ છે ખાવાપીવાની જૂની પદ્ધતિમાં થયેલા ધરખમ ફેરફારો. વધારે એનર્જી, ઓછા પોષકતત્વો અને વધારે કાર્બોહાઈડ્રેટયુક્ત ડાયટ, શારીરિક શ્રમ વિનાનું એટલે કે બેઠા-બેઠા કરવાનું કામ તેમજ કસરતનો અભાવ ડાયાબિટીસમાં સપડાવવાના કારણો છે. રાજ્યના એક સીનિયર હેલ્થ ઓફિસરે કહ્યું કે, “ડાયાબિટીસની દવાઓ પાછળ થતો ખર્ચો વધારે હોય છે. ઈન્સ્યુલિનના ઈંજેક્શન અને બાકીની દવા પાછળ થતો ખર્ચો એક મધ્યમવર્ગીય પરિવારની અડધી કમાણી ખાઈ જાય છે.”
ડૉક્ટરનું શું કહેવું છે?

ડાયાબિટોલોજિસ્ટ ડૉ. મયૂર પટેલે જણાવ્યું કે, “દરરોજ શારીરિક શ્રમ કરવામાં આવે સાથે જ હેલ્ધી અને સમતોલ આહાર લેવામાં આવે તો ડાયાબિટીસ થતો અટકાવી શકાય છે. પરિવાર પણ ડાયાબિટીસ થતો અટકાવવામાં મદદ કરી શકે છે, જો તેમને આ વિશે યોગ્ય જ્ઞાન હોય તો.”
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2Fv5Jf4
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2QEGeJt
No comments:
Post a Comment